Events

પ.પૂ. આચાર્ય શ્રી સંયમબોધિસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતોનો શ્રી લબ્ધિનિધાન જૈન સંઘ, આંબલી મધ્યે ચાતુર્માસ પ્રવેશ!
આપ મળ્યા અમ જીવનમાં જીન ધર્મનો ઉદય થયો, આપની કૃપા મળી જીવનમાં પરાર્થ રસિકતા આવી ભવોદધી તારક આપનું શરણ પામીને જીવન ધન્ય બન્યું. આપના માર્ગદર્શન થકી શાશન ની ઓળખાણ થઈ જે ભાવોને સતત વર્ધમાન કરવા દ્વારા મોક્ષની નજીક લઈ જવામાં સહાયરુપ બને છે. આપનું શરણ પામીને હવે એક જ ઈચ્છા છે કે કર્મસત્તા સામે વજ્ર બનીને તેને હરાવીને કુંથુ નાથ પરમાત્મા ની જેમ સંયમ સ્વીકાર કરવા દ્વારા મોક્ષગતી ને પ્રાપ્ત કરીએ.!
સિદ્ધાચલ મંડળ શ્રી આદિનાથ ભગવાનના ૧૩ ભવોની કથા ખુભ જ સુંદર ચિત્રો દ્વારા અને સંક્ષિપ્તમાં જણાવતું, બાળ ઋષભથી… રાજા ઋષભ અને રાજા ઋષભથી પ્રભુ ઋષભ સુધીની સફર ને જણાવતું સુંદર, સરસ અને આકર્ષક પુસ્તક એટલે જ ‘શ્રી આદિનાથ ચરિત્ર’ પ્રેરક: સહસ્ત્રકૂટ તપારાધક પ.પૂ.આ.શ્રી સંયમબોધિસૂરિજી મ.સા ના શિષ્ય પ.પૂ.પં.શ્રી કૃપાબોધિવિજયજી મ.સા. સંપાદિકા: પૂ.સા.શ્રી રવિ-રાજ-જ્યોતિરત્નાશ્રીજી મ.સા. ના શિષ્યા પ.પૂ.સા.શ્રી ગુપ્તિત્રયાશ્રીજી મ.સા
સહસ્ત્રકૂટતપારાધક સૂરિમંત્રઆરાધક પ્રવચનકાર પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્દ વિજયસંયમબોધિસૂરીશ્વરજી મહારાજા પ્રભુવીર છદ્મસ્થ સર્વસ્વ તપ (4166 ઉપવાસ) અંતર્ગત 1304 ઉપવાસ પૂર્ણ થઇ ચૂક્યા છે.